રવિવાર, 6 સપ્ટેમ્બર, 2015

શિક્ષક દિન ઉજવણી ૨૦૧૫

શાળામાં માં શિક્ષક દિનની ભારે દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળાઓમાં વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે કામગીરી બજવી શૈક્ષણિક કાર્ય કરવામાં આવ્યું હતું. જિલ્લાની તમામ શાળાઓમાં શિક્ષકદિનની ઉજવણી ભારે ઉત્સાહથી કરવામાં આવી હતી.

શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ બનનારા દેશના ભૂતપૂર્વ સ્વ. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમના જન્મદિવસે એટલે કે 5 સપ્ટેમ્બરને દેશભરમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. શિક્ષક દિનના દિવસે સામાન્યત: દરેક શાળાઓમાં સ્વશાસન દિનની પણ ઉજવણી કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા એક દિવસ માટે શિક્ષક બનીને વર્ગમાં અભ્યાસ કરાવે છે. જેનાથી વિદ્યાર્થીઓમાં નાનપણથી નેતૃત્વના ગુણ ખીલે છે અને સમાજ માટે શિક્ષકોની શું ભુમિકા છે તેનાથી માહિતગાર થાય છે. અેક દિવસ માટે શિક્ષક બનીને વિદ્યાર્થીઓ શિક્ષકોના ઉત્તરદાયિત્વને સમજે છે. વિદ્યાર્થી જીવનમાં શિક્ષકો દ્વારા મળતા જ્ઞાનના આધારે તેમનો પાયો મજબૂત કરવામાં આવે છે જેથી કે તે તેના જીવનમાં એક સારૂ વ્યક્તિત્વ સ્થાપિત કરી શકે.
ઉમેરો
                                                          
ખુબ સાદી અને  સરળ રીતે કહી શકાય કે જે શિક્ષા આપે તે શિક્ષક . જે જીવન  ઘડતર મા મદદ રૂપ થાય અને જીવન  ના મૂલ્યો ની સાચી સમજ આપે એ શિક્ષક .શિક્ષક નું યોગદાન સમાજ મા ઘણું મહત્વ નું છે .શિક્ષક ફક્ત ભણાવતા જ નથી ,વિદ્યાર્થી  ના જીવન મા સારા સંસ્કારો નું સિંચન કરી પાયો મજબૂત બનાવે છે . વિદ્યાર્થી  ની કાર્ય ક્ષમતા ને ઓળખી , તેનાં રસ રુચિ પ્રમાણે તેનાં જીવન ની દિશા નક્કી કરવા મા મદદ કરે છે . સારા શિક્ષક વિદ્યાર્થી ને તેની ઉણપ દેખાડી હડધૂત કરતા નથી પણ એને ઉણપ ને દુર કરવા મા મદદ કરે છે . જીવન મા પ્રગતી નો માર્ગ મોકળો કરવા માં મદદ કરે છે . બાળપણ થી જ શિક્ષક અને બાળક સાથે એક સેતુ રચાય છે , જે  ધીરે ધીરે મજબૂત બને છે અને એના જીવન માં એક અમિટ છાપ છોડી જાય છે . બાળક નું મન તો કોરી સ્લેટ જેવું હોય છે , એના પર શિક્ષક ના વર્તન ની સારી  કે  ખરાબ છબી ઉપસતી હોય છે .દર વરસે ૫ મી સપ્ટેમ્બરે શ્રી સર્વપલ્લી રાધા કૃષ્ણ ના જન્મ દિવસ ને શિક્ષક દિન તરીકે ઉજવાય છે . શું આ ઉજવણી થી કાંઈ સિદ્ધ થાય છે ? આજે પણ નાના ગામડાઓ માં છોકરીઓ ને કહેવા માં આવે છે ,’તારે ભણી ને શું કામ છે , ઘરકામ શીખ .’ આટલા વરસો ની શિક્ષક દિન ની ઉજવણી  થાવા છતાં નાના ગામડા નું જનમાનસ કેમ બદલાયું નથી ? કારણ સૌ જાણે જ છે પણ ઉપાય માં કોઈ ને રસ નથી . શિક્ષણ સંસ્થા માં બાળકો ની સલામતી જોખમ માં હોય છે , અત્યાચાર ,બળાત્કાર ના કિસ્સાઓ  બાળકો ને શિક્ષણ થી વંચિત રાખવા માં મહત્વ નો ભાગ ભજવે છે . તો શહેરો માં મોંઘુદાટ  શિક્ષણ  , અંગ્રેજી ઉચ્ચ શિક્ષણ ની ઘેલછા , આંધળું  અનુકરણ શિક્ષણ ને વિકૃત બનાવે છે . આજનું શિક્ષણ સાક્ષર તો બનાવે છે પણ પગભર નથી બનાવતું . આજે બાળકો ને ગમ્મત સાથે જ્ઞાન ના બદલે બોજા રૂપ ભણતર લાગે છે . બાળકો નું બચપન પુસ્તકો ના ભાર તળે દબાઈ ગયું છે .બળદ ની જેમ સ્કુલ બેગ નો ભાર વેંઢારતા બાળકો ની ક્યા કોઈ ને દયા આવે છે ?શિક્ષક અને શિક્ષણ બંને ને અનીતિ નો લુણો લાગી ગાયો છે .પોપટ ની જેમ ગોખી પરીક્ષા પાસ કરવી એજ આજના વિદ્યાર્થી નું લક્ષ્ય બની ગયું છે .સંસ્કાર ધામ ગણાતી શાળાઓ  અનીતિ ના ધામ બની ગઈ છે . આ બધા દુષણો ને નાથવા ના ઉપાયો વિષે તો વિચારવું જ પડશે ને ! કોઈ નક્કર પગલા લેવા પડશે ,તો જ શિક્ષક દિન ની ઉજવણી લેખે લાગશે .
                                            
આ વર્ષે ભગવાન દ્વારકાધીશનો જન્મદિવસ જન્માષ્ટમી યોગાનુયોગ રીતે પાંચમી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિને છે. વૃંદાવનના નટખટ કનૈયા અને દ્વારકાના કુશળ રાજનીતિજ્ઞ, ભગવાન શ્રી કૃષ્ણ યોગ, જ્ઞાન, ધર્મ, કર્મ વિગેરે વિષયોમાં દ્વાપરયુગથી માંડીને કલિયુગમાં પણ મનુષ્યોનું પથદર્શન કરનારા જગદ્ ગુરુ પણ ખરા. શ્રી કૃષ્ણં વંદે જગદ્ ગુરૂમ્  અમસ્તુ કહેવાતું હશે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા સમગ્ર વિશ્વનો અજોડ ધર્મગ્રંથ છે, જેણે માનવજાતને જીવન જીવતાં શિખવ્યું છે. મહાનાયક શ્રી કૃષ્ણની ઉત્તમ શિક્ષક (ગુરૂ) તરીકેની લાક્ષણિકતાનો પૂર્ણ સ્વરૂપે પ્રકટ થતી દેખાય છે. ગીતાજીના 18 અધ્યાયમાં જે જ્ઞાન પીરસવામાં આવ્યું છે અને જીવનપથ પર ચાલવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે, તે વિશ્વના ભાગ્યે જ કોઈ ગ્રંથમાં જોવા મળે છે.
મેકોલેના રંગે રંગાઈને ઘડાયેલી આપણી શિક્ષણ પધ્ધતિમાં ઉછરેલા, માત્ર મટિરિયલ્સ કે મેનેજમેન્ટ જ નહિ પરંતુ માહિતી અને જ્ઞાન માટે પણ પશ્રિમને જ આદર્શ માનનારા આપણા દેશી સાહેબોને ય મોડે મોડે એવું જ્ઞાન લાધ્યું છે કે મોર્ડન મેનેજમેન્ટ, કમ્યુનિકેશન, રણ કૌશલ અને વ્યૂહરચના જેવા નિતાંત અર્વાચીન સિધ્ધાંતોને ભગવદ્ ગીતામાં જગદ્ ગુરૂ શ્રી કૃષ્ણએ નિરૂપિત કર્યા છે. ડિપ્રેશનમાં હજારો રૂપિયા ખર્ચીને ગોળીઓ ખાઈ ખાઈને જીવતા દર્દીઓને અર્જુનનું ડિપ્રેશન(વિષાદ યોગ) કેટલો ગંભીર હશે તે એ બાબત પરથી ખ્યાલ આવવો જોઇએ કે એક બીજાના માથા વાઢી લેવા તત્પર થયેલી 18 અક્ષૌહિણી સેનાની વચ્ચે કુરૂક્ષેત્રમાં ધર્નુર્ધર અર્જુન ગાંડીવ મુકીને ભાંગી પડ્યો હતો. એ ડિપ્રેશનમાંથી પ્રશ્નો અને જવાબો વિગેરે મળીને માત્ર 700 સંવાદો વડે અર્જુનને ઉગારી લેવાનું કામ તો આ ગુરૂએ કર્યુ જ... પરંતુ પાંચ હજાર વર્ષ પછી પણ એ 700 શ્ર્લોકો આજે ય રોજે રોજ હજારો લોકોને ઉગારે છે.
શ્રી દ્વારકાધીશના જીવનમાં કયારેક પણ કોઈ વસ્તુ છોડવાની કે ત્યાગ કરવાની નહી પરંતુ ઉપનિષદ્ ના સુભાષિત तेन त्यत्केन भुज्जीथा નું પ્રતિપાદન થતું જોવા મળે છે. શ્રી કૃષ્ણએ કહેલી ગીતા પણ બ્રહ્મવિદ્યા અને ઉપનિષદ્ જ છે. કયારેક તેઓ વૈશ્વિક સુખને વળગી નથી રહ્યા. તેઓ સતત સાંસરિક બાબતો, રાજકાજ વિગેરેની વચ્ચે રહેવા છતાં જળ કમળ વત રહ્યા અને કર્મયોગનું નિદર્શન કર્યું.
ભગવાન શ્રી કૃષ્ણએ કોઈપણ જાતના હર્ષ કે શોક વગર અર્જુનનો વિષાદ સાંભળ્યો અને તેને પોતાના કર્મનું પાલન કરવા પ્રેરિત કર્યો. ભગવાન શ્રી કૃષ્ણએ ભક્તોને સંપૂર્ણ પ્રભુમય બની અને સમર્પણ ભાવ રાખવા માટે જણાવ્યું છે, પરંતુ કુરૂક્ષેત્રમાં અર્જુન દ્વારા પુછવામાં આવેલા દરેક સવાલના જવાબ તર્કબદ્વ રીતે આપ્યા છે.
આ ઉપરાંત શિક્ષક કે ગૂરૂ વિદ્યાર્થી કે શિષ્યને ખાતરી પણ આપતાં હોય છે કે તેમને દર્શાવેલા રસ્તા પર ચાલવાથી તેનું ભવિષ્ય ઉજળું બનશે અને સમાજ કે દેશનું પણ ભલું થશે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ અર્જુનને કહ્યું હતું કે તેણે આ યુદ્વમાં તેના સગાં-વ્હાલાંનો સામનો ધર્મની સ્થાપના માટે કરવાનો છે અને જો તે જીતશે તો પૃથ્વીનું સામ્રાજ્ય મળશે અને વીરગતિને પ્રાપ્ત થશે તો સ્વર્ગ મળશે.
ગુરૂ કે શિક્ષકનું કાર્ય વિદ્યાર્થી કે શિષ્યના જીવનના મહત્વના નિર્ણય લેવાનું નથી, પરંતુ જીવનની વાસ્તવિકતાથી તેનો પરિચય કરાવવાનો છે. સાથે-સાથે સાચા- ખોટાની સમજ આપીને તેને પોતાની જાતે નિર્ણય લેવા સમર્થ બનાવવાનું કાર્ય સાચો શિક્ષક કરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ અર્જુનને પોતાની રીતે સાચો નિર્ણય લેવા સમર્થ બનાવ્યો.













સોમવાર, 31 ઑગસ્ટ, 2015

ટ્રાફિક સુરક્ષા



                                           જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી, બનાસકાંઠા , પાલનપુર R T O ટીમવાન , પાલનપુર દ્વારા શાળા ટ્રાફિક એજ્યુકેશન કાર્યક્રમ અંતર્ગત  આજ રોજ તા. ૭/૮/૨૦૧૫ ને શુક્રવારના રોજ  શાળામાં  ટીમવાન દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. ટીમના બે સભ્યો  સવારે ૧૧.૦૦ કલાકે પ્રાર્થના સભામાં આવી. શાળાના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ટ્રાફિક સુરક્ષાના નિયમો અને રસ્તે ચાલતાં સલામતી કેમ જાળવવી તેની સરળ ભાષામાં સમજ આપી હતી ,અને પછી હોલમાં એલસીડી પ્રોજેકટર મારફત સુંદર માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં  શાળા ના ધો.-૯ થી ધો.-૧૨ ના કુલ ૧૭૨ વિદ્યાર્થીએ તથા શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ ભાગ લીધો હતો  








સ્થળ= ડીસા                                                                      
તા.૭/૮/૨૦૧૫

રક્ષા બંધન

રક્ષા બંધન

ઉજવણી

શાળામાં તા૯-૮-૨૦૧૪ ના રોજ રક્ષાબંધના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી આદિવસ શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકમિત્રો દ્વારા તહેવારના મહિવા પર વાર્તાલાપ રાખવામાં આવ્યો હતો� આ વાર્તાલાપમાં� બ્રહ્મ દિન, બ્રાહ્મણ પૂનમ, રક્ષાબંધન...! રક્ષાબંધન એટલે રાખડી બાંધવી તે માત્ર રાખડી બાંધી કે બંધાવી આપવી, એટલે પત્યું. એમ નહી, પણ રક્ષાબંધન પાછળ જે ભાવના ભરી પડી છે, જે તત્વજ્ઞાન સમાયું છે. અને જે મહાન જવાબદારી રહેલી છે, તેનું યથાર્થ પાલન થાય તે આવશ્યક છે.
રક્ષા બંધન, સ્વાપર્ણ, શૌર્ય, સૌજન્ય સાહસ, અને ભાઇ-બહેનના નિર્મળ પ્રેમનું નિસ્વાર્થ સ્નેહનું પ્રતિક છે. એમાં રહેલી ધર્મ ભાવના, કર્તવ્ય પરાયણતા, અને હૃદયની વિશાળતા રજૂ કરતું વ્રત અત્યંત આદરણીય અને પાવનકારી છે.
વેજ શ્રુતિ સ્મૃતિને આધારે આર્યોએ આ વ્રતનું આયોજન કરેલું હજારો વર્ષ વીત્યા છતાં આજે સુંદર સુવ્યવસ્થિત સ્વરૃપે જળવાઇ રહ્યું છે.
રક્ષાબંધનને બળેવ પણ કહે છે, બળેવ એટલે બળ અને બલિ ઉભયની ભાવના જેના પાયામાં પડી છે, ત્યાગ અને તિતિક્ષાની તમન્ના જેમાં ભરી છે. પ્રેમ અને સંસ્કારની સૌરભ જેની ઉજવણીમાં મહેકતી જોવા મળે છે. એવા આ દિને, ભારતના ભડવીર સાહસિક સાગર ખેડૂ બનીને વહાણવટે ઉપડતાં અને અખૂટ જળ ભંડારને ખોળે ખેલતાં ખેલતાં, નાળીયેર પધરાવી, સાગરનું પૂજન કરી, આખી દુનિયા ખુંદી વળતાં, આ પ્રસંગમાં ખલાસીઓ, વહાણવટીઓ વેપારીઓ પણ સામેલ થતાં તે વખતે ઐકય સાથે ઉમંગની છોળો ઉડતી. અને સાચા ભ્રાતૃભાવનો પરિમલ પથરાઇ રહેતો આવું છે આ વ્રત પર્વ નાળીયેરી પૂનમ...!વૈદીક વેદ પુરાણને અનુસરનારા ગામ, શહેર સમસ્તનો બ્રહ્મસમાજ સમુહમાં હળી મળી પોતાની ઉપવિત - જનોઇ વેદના મંત્રોચાર અને ગાયત્રી ઉપાસના સાથે સાગર કે સરિતાના તીટે, દેવ મંદિરના સાનિધ્યમાં વિધિપૂર્વક બદલાવે છે, અને બાર માસ જૂની જનોઇ બદલાવી નવા આચાર વિચાર સાથે નવી ઉપવિત ધારણ કરે છે.
નવી જનોઇ ધારણ કર્યા પછી વર્ણનામ બ્રાહ્મણો ગુરૃ તરીકે ચાર વર્ણને રઢીયાળુ રક્ષાબંધન બાંધી આશિર્વાદ આપી, ક્ષેમ કુશળ ઇચ્છે છે. અને આ આશિર્વાદના બદલામાં ધનવાનો, યથા શકિત દક્ષિણા આપે છે. આ દાન પાછળનો હેતુ અને ભાવના જોઇએ તો વિદ્યા અને વિપ્રના માન સન્માન અને રક્ષાની કદર, રક્ષક અને રક્ષકોનો મીઠો ઉજળો સંબંધ.જનોઇ માત્ર સુતના ત્રાગડાનું તુત કે ભુત નથી સોળ સંસ્કારમાનો એક ઉત્તમ સંસ્કાર છે. જનોઇ ધારણ કર્યા પછી જ સંસ્કાર દ્વિજ ઉચ્યતે કહેવાય છે.
રક્ષાબંધન, એટલે ભાઇ - બહેનના નિર્મળ પ્રેમની પ્રસાદી રાખડી...! મામુુલી દોરો નથી...! સુતરનો રંગબેરંગી તાતણો નથી...! પણ ત્યાગનું� મહામુલુ પવિત્ર પ્રતિક છે...! શણગાર છે...!બજારમાં વેંચાતી ભારે ભપકાદાર, ઝળાહળ કરતી ખર્ચાળ રાખડી કરતાં, હાથે કાંતેલાં સુતરનો રંગીન તાતણો વધારે કિંમતી છે. બાહ્મરૃપ કરતાં તેના ગુણ પ્રભાવને પીછાણીએ, એ જ છે, રક્ષાબંધનની મહત્તા...!
આજે અંતરના આશિષ સાથે, બહેન ઉમળકાભેર પોતાના ભાઇને� કપાળે કુમકુમ તિલક કરી, ચોખા� ચોડી, જમણે હાથે રાખડી બાંધે છે. અગર તો મોકલે છે. અને ભાઇ પાસેથી પોતાના રક્ષણનું વચન માંગતા માંગતા આશિષ આપે છે ત્યારે ભાઇ બહેને માંગેલા રક્ષણની ખાતરી આપતાં યથા શકિત દક્ષિણા આપી બહેનને ખુશ કરે છે, રક્ષા બંધનના આદર્શ પવિત્ર પાઠો નવા� યુગના ભાઇ -બહેનો એ શીખવા જેવા છે.
આપણાં પુરાણોમાં વ્રત અને પ્રતિક રાખડીનો મહિમા ઘણો મોટો છે. પવિત્ર છે. દાનવો� સામે લડતાં લડતાં દેવરાજ ઇન્દ્ર હારી ગયા અને ઇન્દ્રાસન તથા દેવલોક ભયમાં મુકાયા ત્યારે ઇન્દ્રાણીએ, ઇન્દ્રને રાખડી બાંધી, રક્ષાબંધન વ્રત કર્યુ. જેના પ્રભાવે ફરી યુધ્ધ લલકાર કરીને ઇન્દ્રએ વિજય મેળવ્યો.
માતા કુંતીએ વીર અભિમન્યુને વ્રત કરીને રક્ષાબંધન બાંધ્યું. પછી કૌરવો સામે સાત કોઠા યુધ્ધ લડવા મોકલ્યો.
કુંતા અભિમન્યુને બાંધે રાખડી...! અમર રાખડી...! અને એ રાખડીએ રંગ રાખ્યો...!
મેવાડની મહારાણી અને વીર રાણી કર્ણાવતીએ મોગલ સમ્રાટ હુમાયુ ને ભાવ ભીનું રક્ષાબંધન મોકલી ભાઇ બનાવ્યો. અને જીભના માનેલાં આ ભાઇએ પોતાની બહેનની રક્ષા, જાનના જોખમે કરી બતાવી...!
બલિપૂજન આજે કરીને બલિના હાથે રાખડી બાંધીને લક્ષ્મીજીએ પ્રભુને છોડાવેલાં આજે પણ બલિપૂજા કરવાથી શોક નાશ પામે છે. પાપ મુકત થાય છે. કારતુક સુદ-૧ ના દિને થતું બલિ પૂજન વ્રત આજે યાદ આવે છે.
રક્ષાબંધન વ્રતના પ્રભાવે ભાઇ - બહેનના હેત વધે છે. આયુષ્ય વધે છે. અને ધનધાન્ય સંપતિની વૃધ્ધી થાય છે.



















સ્થળ : ડીસા

ગુરુ પુર્ણિમા ૨૦૧૫

પ્રવૃત્તિઓ - ગુરુ પુર્ણિમા ૨૦૧૫

ઉજવણી

પંચશીલ વિદ્યાલય, ડીસા ખાતે તા.૧૨-૧૫ જુલાઈ એમ બે દિવસ ગુરૂ પૂર્ણિમાંની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભારત વિકાસ પરીષદના પ્રમુખ, મંત્રી અને શ્રી નાથાલાલ બ્રહમક્ષત્રિય અને અન્ય હોદેદારો ઉપસ્થીત રહ્યા હતા. અને ગુરુ મહિમા પર વાતો કરી હતી અને દેશની આદી સંસ્કૃતિનો પરીચય કરાવી� ન્દુ અને બૌદ્ધ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું આગવું મહત્વ આલેખવામાં આવ્યું છે. 12/07/2014ના રોજ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે. ગુરુને ઈશ્વર પછીનું સર્વોચ્ચ સ્થાન પણ આપવામાં આવે છે.

આથી જ શાસ્ત્રોમાં લખ્યું છે કે,
गुरुर्ब्रह्मा गुरुर्विष्णु र्गुरुर्देवो महेश्वरः ।
गुरु साक्षात परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॥

આ મંત્રનો મતલબ છે કે, હે ગુરુદેવ આપ બ્રહ્મા છો, આપ વિષ્ણુ છો, આપ જ શિવ છો. ગુરુ આપ પરમ બ્રહ્મ છો એવા ગુરુદેવ હું આપને નમન કરું છું. અષાઢ મહિનામાં શુક્લપક્ષની પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. ગુરુનો અર્થ સમજવામાં આવે તો, ગુરુ શબ્દમાં (ગુ) નો મતલબ છે અંધારું, અજ્ઞાનતા અને (રુ) નો મતલબ છે દૂર કરવું. મતલબ જે આપણી અજ્ઞાનતા દૂર કરે છે અને જીવનમાં રહેલી નિરાશા તેમજ અંધકારને દૂર કરે તે ગુરુદેવ છે.

આપણી સંસ્કૃતિમાં સૌથી મહત્વનું પાસું ગુરુ-શિષ્ય પરંપરા છે. જ્યારે બાળકને યજ્ઞોપવિત આપી આશ્રમમાં મોકલવામાં આવે છે ત્યારે તેનાં જીવનનું ઘડતર કરવાનું કામ ગુરુ કરે છે. તેના માટે તેના માતા અને પિતા બંને તે ગુરુ જ છે અને જ્યારે તે પોતાનો અભ્યાસ પુરો કરીને જીવનની નવી શરૂઆત કરે ત્યારે આશ્રમમાંથી વિદાય લેતા પહેલા ગુરુ પોતાની શક્તિ અનુસાર ગુરુદક્ષિણા આપે છે. આ પરંપરા ચાલુ રાખીને દર વર્ષે ગુરુ પૂર્ણિમાના રોજ ગુરુનું ઋણ ચૂકવવા માટે પોતાની શક્તિ અનુસાર દરેક વ્યક્તિ ગુરુને કંઈક ભેટ આપે છે જેને ગુરુ-શિષ્ય પરંપરા કહેવામાં આવે છે.

સંત કબીરે પણ ગુરુ માટે બહુ સરસ કહ્યું છે કે,

गुरु गोबिन्द दोउ खडे काके लागूँ पाँय,
बलिहारी गुरु आपने गोबिन्द दियो बताय।

જેનો મતલબ છે કે ગુર અને ઈશ્વર બંને જોડે ઉભા છે માટે કોને પહેલા પગે લાગવું તે અસમંજસ હોય તેવી સ્થિતિમાં ગુરુને પહેલા વંદન કરવા કારણ કે તેમણે જ ઈશ્વરના દર્શન કરાવ્યા. તેમના વગર ઈશ્વર સુધી પહોચવું અશક્ય હતું.

કબીરજીનો બીજો એક પ્રચલિત દોહો છે કે,

कबीरा ते नर अंध है गुरु को कहते और
हरि रूठे गुरु ठौर है गुरु रूठे नही ठौर

મતલબ કે તે અંધ છે જે ગુરુ ને નથી સમજતો. જો ઈશ્વર નારાજ થાય તો ગુરુ બચાવે પણ જો ગુરુ નારાજ થાય તો કોણ બચાવે.

આ દિવસે શું કરવું જોઈએ?

  1. જેમણે પોતાના ગુરુ બનાવ્યા હોય તેમણે ગુરુનાં દર્શન કરવા જોઈએ.
  2. હિન્દુ શાસ્ત્રમાં શ્રી આદિ શંકરાચાર્યને જગતગુરુ માનવામાં આવે છે માટે તેમની પૂજા કરવી જોઈએ.
  3. ગુરુના પણ ગુરુ તેવા ગુરુ દત્રાત્રેયની પૂજા કરવી અને દત બાવનીના પાઠ કરવા.

જ્યોતિષ અને કુંડળી પ્રમાણે નીચે દર્શાવેલ સ્થિતિમાં ગુરુ યંત્ર રાખવું અને તેની નિયમિત પૂજા કરવી જરૂરી છે -
  1. આપની કુંડળીમાં ગુરુ નીચસ્થ રાશિમાં એટલે કે મકર રાશિમાં હોય તો ગુરુ યંત્ર ની પૂજા કરવી જોઈએ.
  2. ગુરુ-રાહુ , ગુરુ-કેતુ કે ગુરુ-શનિ યુતિમાં હોય તો પણ આપને આ યંત્ર ખુબજ લાભદાયી નીવડશે.
  3. આપની કુંડળીમાં ગુરુ ખાડાના સ્થાનમાં એટલે કે 6, 8 કે 12મા સ્થાનમાં હોય તો પણ આપે ગુરુ યંત્ર રાખવું અને તેની નિયમિત પૂજા કરવી તેવી સલાહ છે.
  4. કુંડળીમાં ગુરુ વક્રી કે અસ્તનો હોય તો ગુરુ તેનું નૈસર્ગિક બળ ગુમાવે છે માટે આપે આ યંત્રની પૂજા કરવી જોઈએ.
  5. જેની કુંડળીમાં અભ્યાસ, સંતાન, આર્થિક અને દાંપત્યજીવનને અનુલક્ષીને તકલીફ હોય તેમણે વિદ્વાન જ્યોતિષની સલાહથી ગુરુનું રત્ન પોખરાજ ધારણ કરવું અત્યંત જરૂરી છે.
  6. આ સિવાય આપની કુંડળીમાં રહેલા દરેક પ્રકારના આર્થિક દોષ દૂર કરવા આપ "શ્રી યંત્ર"ની પૂજા કરશો તો વિશેષ લાભ થશે.
હાલમાં કર્ક રાશિમાં એટલે કે પોતાની ઉચ્ચની રાશિમાં ભ્રમણ કરી રહેલા ગુરુનો આપના પર શું પ્રભાવ પડશે? આપની જન્મકુંડળીના વ્યક્તિગત અભ્યાસના આધારે જાણવા માટે અમારા જ્યોતિષી સાથે વાત કરો અથવા ગુરુના રાશિ પરિવર્તનથી મને શું અસર થશે?

આમ ગુરુ ની ઉપાસના આપને સાચી દિશા અને માર્ગ બતાવી જીવનને સરળ બનાવવામાં મદદ કરે છે.
આમ ગુરૂ પૂર્ણીમાંની અનોખી ઉજવણી કરી હતી.




સ્થળ : ડીસા

૧૫ મી ઓગસ્ટ ૨૦૧૫

૧૫ મી ઓગસ્ટ ૨૦૧૫

ઉજવણી

૧૫ મી ઓદસ્ટ ૨૦૧૪ ના સ્વતંત્રતાદિનની ઉજવની શાળાના પ્રાગનમાં જાગૃતિ ટ્રસ્ટ બનાસકાંઠા ના પ્રમુખ શ્રી પી. એચ. ભાટી સાહેબના વરદ હસ્તે રાખવામાં આવેલ હતું� પર્વની ઉજવણી નિમિતે પંચશીલ વિદ્યાલયના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો તથા મોડલ સ્કુલના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો� તથા કર્મચારીઓ તથા વાલીઓ ઉપસ્થીત રહ્યા હતા. ધ્વજવંદન પછી મુખ્ય મહેમાન શ્રી ભાટી સાહેબે પ્રસાંગીક ઉદબોધનમાં વિદ્યાર્થીઓને સંબોધીત કરતાં જણાવ્યુ હતું કે આજનો દિવસ આપણા દેશ માટે સોનેરી દિવસ તરીકે ઉજવાય છે, કેમ કે આજનો દિવસ એટલે કે ૧૫ મી ઓગસ્ટ – આપણો સ્વાતંત્ર્ય દિવસ.
� અંગ્રેજોની ૨૦૦ વર્ષની ગુલામી માંથી� આપને આઝાદ થયા તે દિવસ તો આપના ઇતિહાસનું સોનેરી પાનું બની ગયો છે.
� અત્યારે આપણે આઝાદીના અર્થને સમજીએ છીએ ખરા ?� ના …કારણ કે આપણે જન્મ્યા ત્યારથી જ આઝાદીનો શ્વાસ લઇએ છીએ અને એવું કહેવાય છે કે જે વસ્તુ આપણને મફતમાં અથવા સહેલાઈથી મળે તેની આપણા મનમાં કઈ જ કીમત હોતી નથી.

� અરે! આઝાદી કોને કહેવાય તે પ્રશ્ન આપણા શહીદોને પૂછો, એ સમયના આપણા સ્વાતંત્ર્ય વીરો ને પૂછો, લોહી રેડીને જેમને સામી છાતીએ ગોળીઓના વરસાદને ઝીલ્યો છે એવા લોકોને પૂછો� તો તેનું મહત્વ સમજી શકાય …!! � આપણા પૂર્વજોએ જે શહીદી વહોરીને આપણને આ અમુલ્ય ભેટ આપી છે તેને સાચવવાની જવાબદારી મારી , તમારી અને આપણા સહુની છે .
� મને કહેતા દુઃખ થાય છે કે આજના સમયમાં માયકાંગલા જેવા મુઠ્ઠીભર નેતાઓએ ગંદા રાજકારણથી આપની આઝાદીના સાચા અર્થને અને સાચા ગૌરવને સાવ ભુલાવી દીધા છે અને અંગત સ્વાર્થ ખાતર અંદરોઅંદર ઝગડતાં કરી મુક્યા છે .
� � � � � � � � � � મિત્રો !! દેશભક્તિ આપણા હૃદયમાં હોવી જોઈએ માત્ર વાતો કરવાથી કઈ નહિ વળે ! કેમ કે આજકાલ આપણે જોઈએ છીએ તેમ ચીન આપણા દેશનો મોટાભાગનો વિસ્તાર પડાવી લીધો છે અને હમણાં એક અઠવાડિયા પહેલા જ પાકિસ્તાને આપણા ૫ સૈનિકોને મારી નાખ્યા છે …તો હવે આપણે જ સમજવાની જરૂર છે કે જો આવી રીતે જ રાજકારણ રમાશે તો વહેલા મોડા આપણે સૌ ફરીથી ગુલામ બની જવાના છીએ. માટે જાગો !!! અને દેશભક્તિને હૃદયમાં ઉતારી આપણે પણ દેશપ્રેમનો પાઠ શીખીએ અને આપણા બાળકોને પણ તેનું મહત્વ સમજાવીએ.� પછી શાળામાં સંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા.�
� જય હિન્દ
� � � � � વંદે માતરમ
� ભારતમાતા કી જય